રાજકોટ અગ્નિકાંડનાં મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે: વેપારી સંગઠનો આજે બજારો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે, તમામ દુકાનો બપોર સુધી બંધ રહેશે
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan27052024_050652_223.webp)
- 27 May, 2024
રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં 33 લોકોનાં મોત થયા છે. આ અગ્નિકાંડમાં કોઈકે ભાઈ ગુમાવ્યો છે તો કોઈકે પત્ની તો કોઈકે પોતાનો મિત્ર ગુમાવ્યો છે. કેટલાક પરિવારે તો પરિવાર માટે કમાણી કરનાર મોભીને જ ગુમાવી દીધા છે. આ ઘટનાના પગલે જે સભ્યોએ પોતાના સગા-સ્નેહીનો ગુમાવ્યા છે, તેમની પર તો આભ તૂટી પડ્યું છે. મૃતકોનાં પરિવારના સભ્યો હાલ એવી માંગણી કરી રહ્યાં છે કે આરોપીઓને સમાજમાં દાખલો બેસી તેવી સજા થવી જોઈએ. જોકે રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને લઈ વેપારી સંગઠનો દ્વારા મોટો નિર્ણય કરાયો છે. રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડમાં મૃત્યું પામેલા લોકોને લઈ વેપારી સંગઠનો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મૃતકોને શ્રદ્ધાંજલી આપવા વેપારી સંગઠનો આજે બજારો બપોર સુધી બંધ રાખશે.
રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ સફાળે જાગેલી સરકાર દ્વારા તાત્કાલીક સમગ્ર રાજ્યમાં ચાલતા ગેમ ઝોનો પર તપાસનાં આદેશ કરવામાં આવ્યા છે. જેને લઈ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાળે જાગી ગેમ ઝોનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તો કેટલાક ગેમ ઝોનને સીલ પણ કરવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ છે કે વહીવટી તંત્ર દ્વારા જ્યારે ગેમ ઝોનને પરમીશન આપવામાં આવે છે. ત્યારે તમામ સાવચેતીનાં સાઘનો છે કે નહી તેની ચકાસણી કરવામાં આવે છે કે નહી. તે એક ચર્ચાનો મુદ્દો બન્યો છે.
ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં માસૂલ જીંદગીઓ હોમાઈ ગયા બાદ સફાળે જાગેલા વહીવટી તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલીક પગલા ભરવામાં આવ્યા છે. જેમાં રાજકોટનાં 6 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 6 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. જેમાં રાજકોટ મહાનગર પાલિકામાં તેમજ આર એન્ડ બી માં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઈજનેર જયદીપ ચૌધરી, નાયબ કાર્યપાલક ઈજનેર એમ.આર.સુમા તેમજ આસિસ્ટન્ટ ટાઈન પ્લાનર ગૌતમ જોશી, પીઆઈ વી.આર.પટેલ, પીઆઈ એન.આઈ. રાઠોડને સસ્પેન્ડ કરાયા છે. ત્યારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી મોટા અધિકારીઓનો બચાવ કરવામાં આવ્યો હોવાનું પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે સસ્પેન્ડ કરાયેલા લોકો સામે શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું.
રાજકોટ ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનાને લઈ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમગ્ર બાબતે ક્રાઈમ બ્રાંચમાં બેઠક મળી હતી. તેમજ સસ્પેન્ડ અધિકારીઓની જોઈન્ટ પોલીસ કમિશ્નર દ્વારા પૂછપરછ કરાઈ છે. જોઈન્ટ પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી પૂછપરછ કરશે.